Frequently Asked Questions

(૧)  આ સ્કૂલ સરકાર માન્ય છે ?

* હા, અમારી સ્કૂલ ગુજરાત સરકાર માન્ય ૧૯૫૩ થી ચાલતી ગુજરાત સ્ટેટ બોર્ડ નવયુગ શિશુ નિકેતન ગુજરાતી મિડિયમ અને NSN International School English Medium સાથે જોડાયેલી છે. જેનો સિલેબસ NCERT Based હોય છે.

(૨)  આ ટ્રસ્ટ સંચાલિત છે કે કંપની ACT હેઠળ છે ?

* હા, આ સ્કૂલ ટ્રસ્ટ સંચાલિત છે. શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી ટ્રસ્ટ વિસનગર જે ૧૯૬૫ થી ટ્રસ્ટ સંચાલિત છે.

(૩)  સ્કૂલ નો સમય શું છે ?

* પ્રિ પ્રાઇમરી    = ૦૮:૩૦  થી  ૧૧:૩૦  (KG Section)
ધો ૧ થી ૪      = ૦૭:૩૦ થી   ૧૨:૧૦  ( Primary Section)
ધો ૫ થી ૧૦  = ૦૭:૧૦  થી  ૧૨:૪૦  (Upper Primary & Secondary Section)
ધો ૧૧ થી ૧૨ સાયન્સ = ૦૭:૧૦ થી ૦૧:૧૦ (સાથે JEE & NEET ના ક્લાસ પણ નિષ્ણાંતો દ્વારા લેવામાં આવે છે)

(૪) ફી નું ધોરણ, માધ્યમ અને સમયગાળો શું હોય છે ?

* FRC ના ધારા ધોરણ મુજબ ફી નું ધોરણ વર્ગવાર છે.
નોંધ – બાલમંદિર વિભાગની નાસ્તા ફી, વાર્ષિક ફી માં જ સમાવેશ થાય છે.
નોંધ – ધો-૧ થી ધો-૧૦ માં નાસ્તા ફી માસિક રૂ ૨૦૦ છે. વર્ષમાં નાસ્તા ફી ફક્ત ૧૦ મહિનાની જ લેવાય છે.
શાળાએ નક્કી કરેલ ફી માસિક,ત્રિમાસિક, અર્ધવાર્ષિક એમ તમારી સગવડ પ્રમાણે ભરી શકાય છે. તથા ફી રોકડમાં, ઓનલાઈન UPI દ્વારા તથા ચેક દ્વારા સ્વીકારવામાં આવે છે. ( ફી ભર્યા પછી ફી ની પાવતી અચૂક મેળવી લેવી. સમયસર ફી ન ભરનારને લેટ ફી ભરવાની રહેશે)

(૫)  ટ્રાન્સપોટેશન ની શું સગવડ છે ?

* હા, જે તે વિસ્તારમાંથી મારુતિવાન કે રિક્ષા કે અન્ય સાધન સંસ્થામાં જાણ કરીને મેળવી શકશો. જેની ટ્રાન્સપોર્ટેશન ફી અલગ હોય છે

(૬)  કઈ કઈ અન્ય પ્રવૃત્તિઓ સંસ્થામાં ભણવા સાથે થાય છે ?

* સ્કૂલમાં અભ્યાસ ઉપરાંત સાંસ્કૃતિક , રમત-ગમત ડ્રોઈંગ, પ્રોજેકટ પ્રદર્શન, કલામહાકુંભ, ખેલમહાકુંભ, બહારની વિવિધ સ્પર્ધાઓ તથા પરીક્ષાઓ અને અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ ઉપરાંત બ્રાઇટર માઇન્ડ, હાર્ટફૂલનેસ, રૂપાંતર, યોગ પ્રાણાયામ, ડો.એ.પી.જે. કલામ સાયન્સ સેન્ટર ચલાવવામાં આવે છે.
(૧) ડૉ.એ.પી.જે કલામ સેન્ટરની વાર્ષિક ફી ૧૦૦૦/-  મહિનામાં ૨ રવિવાર સવારે ૦૯:૦૦ થી ૧૧:૦૦ દરમ્યાન
(૨)   રૂપાંતર કાર્યક્રમ :- 
બાળકોમાં હકારાત્મક પરીવર્તન લાવવાનો પ્રકલ્પ ફક્ત ધો-૫,૬,૭,૮માં નિશુલ્ક ચલાવવામાં આવે છે. સ્કૂલ સમય દરમ્યાન.
(૩) બ્રાઇટર માઇન્ડ :-
બ્રાઇટર માઇન્ડ એ બાળકોમાં જાગ્રત મનને Activate કરવાનું કર્યા કરે છે. જેની ફી ૨૫૦૦/-  જે ફક્ત ત્રણ મહિનાનો ૩૦ કલાકનો Syllabus હોય છે, જે દર રવિવારે ૩ કલાક ૩ મહિનામાં આ કોર્સ પૂર્ણ થાય છે.

(૭)  આ સંસ્થા સાથે કોણ જોડાયેલ છે ?

* આ સંસ્થામાં સમાજના પ્રતિષ્ઠિત નાગરિકો શિક્ષણવિદ સક્રિય રીતે જોડાયેલ છે જેમ કે ડો. મિહિરભાઈ જોષી  ( જ્યોતિ હોસ્પિટલ )
પ્રો.સમીરભાઈ દેસાઇ – ( Campus Director, ન. શિ. નિ. કેમ્પસ )
પ. પૂ. સ્વામી અંબરીષાનંદજી મહારાજ ( ભારત સેવાશ્રમ સંઘ,સુરત)
શ્રી.ઉષાબેન પંડિત – (રીટાયર્ડ પ્રિન્સિપાલ)
શ્રી નટવરભાઇ ખત્રી – (રીટાયર્ડ EI)
શ્રીમતી તૃષાબેન દેસાઇ – (ડાયરેક્ટર નવયુગ શિશુ નિકેતન & NSN International School )

(૮)  એક ક્લાસમાં કેટલી સંખ્યા હોય છે.

* એક ક્લાસમાં વધુમાં વધુ ૪૦ થી ૪૫ સંખ્યા રહે છે. અને બાલમંદિર વિભાગમાં એક ક્લાસમાં વધુમાં વધુ ૨૫ સંખ્યા હોય છે.

(૯)  શાળામાં અન્ય કઈ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ?

* મલ્ટી મીડિયા ક્લાસરૂમ, Interactive Board, Wi-Fi Campus, મિનરલ વોટર પ્લાન્ટ, CCTV કેમેરાથી સજ્જ સંપૂર્ણ કેમ્પસ, ફાયર સેફ્ટીથી સુસજ્જ, રમત ગમત માટે મોટું મેદાન, રમકડાં ઘર – ટોય લાઈબ્રેરી, પુસ્તક લાઈબ્રેરી (વાંચન પ્રત્યે વિશેષ ભાર આપવામાં આવે છે.) અંગ્રેજી વિષયને ધોરણ -૧ થી જ મહત્વ આપવામાં આવે છે.

(૧૦)  સ્કૂલમાં  ERP Software ઉપલબ્ધ છે?

* હા, સ્કૂલમાં ERP Software ઉપલબ્ધ છે. તથા દરેક વાલીને મોબાઈલ એપ આપવામાં આવશે. જેમાં તેમના બાળકોની તમામ માહિતી ઉપલબ્ધ હશે.

(૧૧)  શાળાનો યુનિફોર્મ કયો છે?

* સ્કૂલ યુનિફોર્મ વિધ્યાર્થીઓ અને વિધ્યાર્થિનીઓ માટે નિશ્ચિત કરેલ છે.
ઉપરાંત Black બુટ + 2 Socks સફેદ છે.
શિયાળામાં મરુન સ્વેટર  હોય છે. ( નવેમ્બરમાં સ્વેટર લઈ લેશો)

(૧૨)  ડ્રેસ અને પુસ્તક શાળામાંથી મળશે ?

* ના, બહારથી ખરીદવાનું રહેશે કોઈ નિર્ધારિત દુકાન નથી પરંતુ માર્ગદર્શન આપીએ છીએ.

(૧૩)  શાળાના શિક્ષકોની ક્ષમતા કેવી છે ?

* Well Qualified & અનુભવી શિક્ષકો અને સમર્પિત સ્ટાફ સતત વિધ્યાર્થીઓ અને Parents ના સંપર્કમાં રહે છે.

(૧૪)  મૂલ્યાંકનની પધ્ધતિ શું છે?

* દરેક વિષયના ચેપ્ટર / પ્રકરણ ટેસ્ટ લેવામાં આવે છે. અને તે ઉપરાંત યુનિટ ટેસ્ટ અને સંત્રાત્ર (ટર્મ) પરીક્ષા અને વાર્ષિક (Annual) Exam લેવામાં આવે છે. જેનું સર્વાંગી મૂલ્યાંકન કરવામાં આવે છે. બાલમંદિર ( KG Section ) માં Grade પધ્ધતિ છે.

(૧૫)  Sports અને Music માં આપ શું પ્રવૃત્તિઓ કરવો છો. ?

* Sports & Music માં સૌને જોડવાનો પ્રયાસ થાય છે.
યોગ અને પ્રાણાયામ PTના પિરિયડમાં નિયમિત કરવામાં આવે છે સૂર્યનમસ્કાર કરવવામાં આવે છે.
વિશિષ્ટ બાળકોને ચેસ, યોગ ની વિશિષ્ટ તાલીમનું આયોજન કરી આપવામાં આવે છે.
સંગીત, કરાટે અને સ્કેટિંગના વિશિષ્ટ વર્ગો દર રવિવારે ૨ કલાક માટે ચલાવવામાં આવે છે.

(૧૬)  સંસ્થાની વેબસાઇટ છે?

(૧૭)  સોશિયલ મીડિયામાં સંસ્થાની હાજરી છે?

* હા, અમારી નવયુગ શિશુ નિકેતન અને NSN International School ની Facebook, Instagram અને Youtube ઉપર ઉપલબ્ધ છે.

(૧૮)  સંસ્થાનો ફોન નંબર કયો છે ?

* ૦૨૭૬૫, ૨૨૩૨૮૦, ૮૨૦૦૨૪૭૧૮૨

(૧૯)  શાળાનો ઓફિસ સમય શું છે?

* ૦૭:૩૦ થી ૦૧:૩૦ ( દરમ્યાન )
૦૮:૦૦ થી ૧૨:૩૦ ( વેકેશન દરમ્યાન )

(૨૦)  નાસ્તા વિભાગમાં શું આપે છે ?

* પૌસ્ટિક નાસ્તો જેમાં Nutrition Base પ્રોટીન યુક્ત નાસ્તાનો આગ્રહ હોય છે. સીઝનલ ફ્રૂટ આપવામાં આવે છે. જૈન અને સ્વામિનારાયણ નાસ્તાની અલાયદી સગવડ હોય છે.

 (૨૧)  અન્ય માહિતી મેળવવા માટે શું કરવું  ?

* સંસ્થામાં રૂબરૂ મુલાકાત કરવી સમય સવારે ૦૮:૦૦ થી ૦૧:૦૦ દરમ્યાન રૂમ નં. : ૦૩ કાઉન્સેલિંગ ઓફિસ અથવા જે તે વિભાગના પ્રિન્સિપાલને મળવાનું રહેશે. ચાલુ ક્લાસમાં કોઈ પણ વર્ગ શિક્ષકને મળવાનો આગ્રહ ના રાખવો ઉપરાંત ફોન નં : ૦૨૭૬૫-૨૨૩૨૮૦ અથવા ૮૨૦૦૨૪૭૧૮૨ ઉપર ફોન કરી શકશો.

(૨૨)  Admission ની શું પ્રક્રિયા છે?

* બાલમંદિર વિભાગમાં – બાળકનો ૧ ફોટો,જન્મનો દાખલો,આધાર કાર્ડ અને બાળકને લઈને શાળામાં રૂબરૂ માતા-પિતા સાથે આવવાનું રહેશે.
*  ધોરણ ૧ થી ૧૦ માં પ્રવેશ માટે ૧ ફોટો, જન્મનો દાખલો, આધાર કાર્ડ, Leaving Certificate અને છેલ્લી Mark sheet સાથે લાવવી.
*  Admission વહેલા-તે-પહેલાના ધોરણે જ આપવામાં આવે છે. દરેક વર્ગમાં મર્યાદિત સંખ્યાના કારણે સત્વરે પ્રવેશ મેળવી લેવો. પ્રવેશ આપવાનો અધિકાર માત્ર Management પાસે જ છે.